મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો


SHARE











વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો

વાંકાનેરની મત્રી સોસાયટીમાં રહેતી મહિલા સાથે તેના પતિએ ચા બનાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને મહિલાને માથામાં તથા શરીરે તેના પતિએ માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર શહેરમાં આવેલ મંત્રી સોસાયટીમાં રહેતા જોસનાબેન અશોકભાઈ રાઠોડ (39)હાલમાં તેના પતિ અશોકભાઈ ભીખાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના પતિએ ચા બનાવી આપવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને શરીરે તથા માથામાં માર મારીને મુંઢ ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણાના વાધરવા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સલીમભાઈ હબીબભાઈ માલાણી (42), જન્નતબેન સલીમભાઈ માલાણી (42) અને આદિલ સલીમભાઈ માલાણી (2) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદના રણજીતગઢ ગામે રહેતા નરેન્દ્રભાઈ ખોડાભાઈ ચાવડા (34) નામનો યુવાન ગામના પાદર પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News