મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે બેઠી હતી દરમિયાન તે પડી ગઈ હતી અને ત્યાર બાદ તેને ઉલટી થઈ હતી અને મહિલા બેભાન થઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક મહિલાના પરિવારજનો દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ એસ્સારના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા ગોમતીબેન મેરૂભાઈ માંડવીયા (41) નામના મહિલા ગત તા. 15/3 ના રોજ સવારે 11 વાગ્યે પોતે પોતાના ઘર પાસે બેઠા હતા અને ત્યાં તેઓ અચાનક પડી ગયા હતા અને ત્યારબાદ તેને ઉલટી થઈ હતી અને તેઓ બેભાન ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેઓની સારવાર ચાલુ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મહેશભાઈ મેરૂભાઈ માંડવીયા (50) રહે. ત્રાજપર મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

હળવદમાં રહેતા બીપીનભાઈ મનોજભાઈ રાઠોડ (24) નામના યુવાનને કોઈએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વીરપર ગામ પાસે બસ સ્ટેશન નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કિશનભાઇ મગનભાઈ (45) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદમાં રહેતા કરણસિંહ લખમણસિંહ રાવત (30) નામના યુવાનને હળવદમાં ફાટક નજીક હતો ત્યારે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News