મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE













ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

ટંકારાના ઘુનડા (સ) ગામે વૃદ્ધ તેઓના માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા માટે તેને ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે અગાઉ થયેલ જમીન બાબતની બોલાચાલીનો ખાર રાખીને તેઓના ચાર ભત્રીજાઓ દ્વારા “તારે મંદિરે નહીં આવું” તેવું કહીને બોલાચાલી કરી હતી” ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે “આ મંદિર તેમના પણ માતાજીનું છે” જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય ભત્રીજાઓ દ્વારા તેને ધોકા વડે અને ઢીકા પાટીનો માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં સોરડી રોડ પરશુરામ પોટરી પાસે વરિયા દેવના મંદિરની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (70)એ હાલમાં દેવજીભાઈ માવજીભાઈ જાદવ, હરેશભાઇ માવજીભાઈ જાદવ, રમેશભાઈ માવજીભાઈ જાદવ તથા નરેશભાઈ માવજીભાઈ જાદવ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ઘુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદિરે તેઓ શ્રીફળ વધેરવા માટે થઈને ગયેલા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી સાથે અગાઉ જમીન બાબતે બોલાચાલી થયેલી હતી તે બાબતનો ખા રાખીને મંદિરની બહાર શેરીમાં ફરિયાદીને કહેલ કે “તારે મંદિરે નહીં આવવું” તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, આ મંદિર તેમના પણ માતાજીનું છે જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે આરોપી દેવજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જ્યારે હરેશભાઈ અને નરેશભાઈએ પકડી રાખતા રમેશભાઈએ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ચારેય વ્યક્તિઓની સામે ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News