મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબી તાલુકા વિસ્તારમાંથી ગુમ થયેલ કે અપહરણ કરવામાં આવેલ સગીર, સગીરા, મહિલા, પુરુષો વિગેરેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને છેલ્લા મહિનાઓમાં એક કે બે નહીં પરંતુ 36 જેટલા લોકોને ઓપરેશન મિલાપ અંતર્ગત શોધીને તેઓના પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુચના અન્વયે ઓપરેશન મિલાપ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને સરહદી રેંજ આઈજી તેમજ મોરબીના એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા વિસ્તારમાંથી ગુમ થયેલા કે પછી અપહરણ કરવામાં આવેલ લોકોને ઓપરેશન મિલાપ અંતર્ગત શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને ટે દરમ્યાન ગુમ થયેલ સગીર, સગીરા, મહિલા, અને પુરુષને શોધી કાઢવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ 36 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, જે લોકોને શોધી કાઢવામાં આવેલ છે તેમાં 12 સગીરા, 16 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે.






Latest News