મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત


SHARE







મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત

મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે રહેતી મહિલાએ કોઈ પણ કારણોસર પોતે પોતાની કરે ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે મોરબીમાં રહેતા આધેડ મહિલાને આંચકીની બીમારી હોય તેને સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા દીપિકાબેન સરદારભાઈ ભાભર (25) નામના મહિલાએ કોઈપણ કારનોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતુ જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય તેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ભીમરાવનગરમાં રહેતા લીલાબેન જગદીશભાઈ ચૌહાણ (58) નામના આધેડ મહિલાને આંચકીની બીમારી હોય ગત તા. 5/8 ના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેને આંચકી ઉપાડતા સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ જગદીશભાઈ દેવજીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News