મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો


SHARE













મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો !

મોરબીના વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ભત્રીજા સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવા ગયેલા યુવાન ઉપર સામેના ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિધલિયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા રૂક્મુદીનભાઇ હુસેનભાઇ શેરસીયા (મોમીન ઉ.વ.૩૯) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તન્વીરભાઇ ગફારભાઇ ખલીફા રહે.દિઘલીયા તા.વાંકાનેર જી.મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તન્વીરભાઇએ રૂકમુદિનભાઇના ભત્રીજાની સાથે બોલાચાલી કરેલ હતી જે બાબતે તેઓ ઝઘડો ન કરવા તન્વારભાઇને સમજાવતા ગયા હતા ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઇને તન્વારે ફરીયાદીને ગાળો આપી હતી અને તેણે પોતાની પાસે રહેલ છરી વડે રૂકમુદિનભાઇને ડાબા ખંભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે છરકા કરી ઇજા પહોચાડી હતી.બનાવ અંગે એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના જુના સાદુરકા ગામ પાસે આવેલા સર્વોત્તમ ડેકોર નામના યુનિટ નજીક રહી મજૂરી કામ કરતો અમરસિંહ જયપાલસિંહ ગોડ (ઉમર ૧૯) નામનો યુવાન ત્રણ માળ જેટલી ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી તેને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી.મોરબીના જોધપર ગામે રહેતા વિનોદભાઈ અમરશીભાઈ દેલવાડીયા (૪૦) અને મુક્તાબેન વિનોદભાઈ દેલવાડીયા (૪૦) ને ગામમાં મારામારીમાં ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થતા રતિલાલ હીરાભાઈ ઝાટ (૪૨) રહે.મૂળ રાજસ્થાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News