મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો
SHARE
મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો !
મોરબીના વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ભત્રીજા સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવા ગયેલા યુવાન ઉપર સામેના ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિધલિયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા રૂક્મુદીનભાઇ હુસેનભાઇ શેરસીયા (મોમીન ઉ.વ.૩૯) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તન્વીરભાઇ ગફારભાઇ ખલીફા રહે.દિઘલીયા તા.વાંકાનેર જી.મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તન્વીરભાઇએ રૂકમુદિનભાઇના ભત્રીજાની સાથે બોલાચાલી કરેલ હતી જે બાબતે તેઓ ઝઘડો ન કરવા તન્વારભાઇને સમજાવતા ગયા હતા ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઇને તન્વારે ફરીયાદીને ગાળો આપી હતી અને તેણે પોતાની પાસે રહેલ છરી વડે રૂકમુદિનભાઇને ડાબા ખંભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે છરકા કરી ઇજા પહોચાડી હતી.બનાવ અંગે એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના જુના સાદુરકા ગામ પાસે આવેલા સર્વોત્તમ ડેકોર નામના યુનિટ નજીક રહી મજૂરી કામ કરતો અમરસિંહ જયપાલસિંહ ગોડ (ઉમર ૧૯) નામનો યુવાન ત્રણ માળ જેટલી ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી તેને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી.મોરબીના જોધપર ગામે રહેતા વિનોદભાઈ અમરશીભાઈ દેલવાડીયા (૪૦) અને મુક્તાબેન વિનોદભાઈ દેલવાડીયા (૪૦) ને ગામમાં મારામારીમાં ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થતા રતિલાલ હીરાભાઈ ઝાટ (૪૨) રહે.મૂળ રાજસ્થાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.