મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં શનિવારથી પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન


SHARE













મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં શનિવારથી પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મોરબીમાં પહેલી વાર મોરબી મહાપાલિકા દ્વારા પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી મહાપાલિકા દ્વારા પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા થી ૧૧ સુધી પાંચ દિવસ પુસ્તક મેળો યોજાશે જેમાં કુલ મળીને ૧૯ સ્ટોલો રાખવામા આવશે. આ પુસ્તક મેળો સવારના ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પુસ્તક મેળામાં વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકોના અનેક સ્ટોલો મૂકવામાં આવશે. જેમાં બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો દરેક વર્ગના વાચકોને અનુરૂપ પુસ્તકોનો ખજાનો અહીં જોવા મળશે. ખાસ કરીને સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ નાગરિકોને પરિવાર સહીત ઉપસ્થિત રહી વાંચનનો આનંદ માણવા મનપા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News