મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં શનિવારથી પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન


SHARE







મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં શનિવારથી પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મોરબીમાં પહેલી વાર મોરબી મહાપાલિકા દ્વારા પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી મહાપાલિકા દ્વારા પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા થી ૧૧ સુધી પાંચ દિવસ પુસ્તક મેળો યોજાશે જેમાં કુલ મળીને ૧૯ સ્ટોલો રાખવામા આવશે. આ પુસ્તક મેળો સવારના ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પુસ્તક મેળામાં વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકોના અનેક સ્ટોલો મૂકવામાં આવશે. જેમાં બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો દરેક વર્ગના વાચકોને અનુરૂપ પુસ્તકોનો ખજાનો અહીં જોવા મળશે. ખાસ કરીને સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ નાગરિકોને પરિવાર સહીત ઉપસ્થિત રહી વાંચનનો આનંદ માણવા મનપા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News