માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ


SHARE













મોરબી મનપાના કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ

મોરબી મહાપાલિકામાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 સંચાલકો હાજર રહ્યા હતા અને તેઓએ અબોલજીવને રાખવા માટેની તૈયારી દર્શાવી હતી.

મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ વેટેનરી ઓફિસર, ટંકારા વેટેનરી ઓફિસર, પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી હાજર રહયા હતા. આ મિટિંગમાં ટંકારા અને હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. અને ગૌશાળાના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી, અને માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 પશુને મોરબી મહાપાલિકાની ટીમે પકડેલ છે. આ પશુને ટ્રેગિંગ અને આરએફઆઈડી લગાવીને મોરબી જિલ્લાના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળમાં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છેમોરબી મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્રારા નિયમિત રીતે પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News