મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ભારતમાતાના વીર સપૂતો ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી "શહીદ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનાર આ ત્રણેય મહાપુરુષોની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ એ અને બી ના વિદ્યાર્થીઓએ શહીદોની છબી સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ શાહિદ વીરોના જીવન અને તેમના દેશપ્રેમ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. અને વિદ્યાર્થીઓએ ક્રાંતિકારીઓના સંઘર્ષની ગાથા વર્ણવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જેથી શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.






Latest News