ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી


SHARE











ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરવા માટે તેને આવેલા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લધીરગઢ ગામે આવેલ જય બાલાજી પોલિપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રચનાબા હરીસિંહ આહિરવાર (34)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ટંકારાની લતીપર ચોકડીના બ્રિજ નીચે માર્કેટ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરી સપનાનું આરોપી દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારાના ગણેશપર ગામે રહેતા દર્શનભાઈ રોહિતભાઈ પ્રજાપતિ (26) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણી ટ્રાવેલ્સના ચાલકે કાવુ મારવા જતા સમયે બાઇકને હડફેટે લેતા તે બાઇકમાંથી પડી ગયો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા કાદરીયાભાઈ વેસાકીયાભાઈ બામણીયા (30), લાભુબેન કાદરીયાભાઇ બામણીયા (25) અને અસ્મિતાબેન કાદરીયાભાઈ (4) નામના ત્રણેય વ્યક્તિઓ બાઈક ઉપર અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરુ આવતા  બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ત્રણેય વ્યક્તિઓને ઇજા થતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News