ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત


SHARE











ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત

ટંકારા નજીક નશીતપર ગામ પાસે કારખાનામાં બનેલી ઘટના : પાંચેક દિવસની સારવારમાં આરતીબેને રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

 

ઠંડી વધી રહીં છે ત્યારે લોકો તાપણું કરતા હોય છે અથવા આગ જુવે ત્યાં શરીર શેકવા લાગતા હોય છે ત્યારે ટંકારા નજીક નશીબપર ગામ પાસે કારખાનામાં ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ હતી. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં પાંચેક દિવસ ચાલેલી સારવાર બાદ તેણીએ સારવારમાં દમ તોડી દીધો હતો.

મળતી વિગત અનુસાર, આરતીબેન દશરથભાઈ કદમ (55, રહે.લુંજન ફેક્ટરી, નસીબપર ગામ, ચાચાપર રોડ, તાલુકો ટંકારા, જીલ્લો મોરબી) ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ ઉપરોક્ત કંપનીના રૂમમાં જ્યાં તે પરિવાર સાથે રહેતી હતી ત્યાં ગેસના ચૂલાની આગમાં હાથ પગને શેકી તાપણુ કરતી હતી ત્યારે મોબાઈલમાં ફોન આવતા, ફોનમાં વાત કરતા કરતા ધ્યાન ન રહેતા આગની જાળ સાડીમાં લાગી જતા આખા શરીરે દાઝી ગઈ હતી.

જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, આરતીબેનને સંતાન 3 દીકરા અને 1 દીકરી છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ ગ્વાલિયરના વતની છે. આરતીબેનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો






Latest News