ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત


SHARE











ટંકારાના નસીપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આધેડ વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને શરીરે અને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના આધેડના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના નસીપર ગામે રહેતા પ્રભુભાઈ નારણભાઈ અંદોદરીયા (64)એ હાલમાં ટ્રક નંબર જીજે 3 બી 7885 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, નસીપરથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તેઓના નાના ભાઈ પ્રાણજીવનભાઈ નારણભાઈ અંદોદરીયા (52) વોકિંગ માટે થઈને નીકળ્યા હતા અને ત્યારે નાલા પાસે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને શરીરે અને જમણા પગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News