ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ


SHARE











મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ

મોરબી જીલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસેથી અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને બાદમાં તે જ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ગઇકાલે હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખવામા આવી હતી અને આજે સતત બીજા દિવસે પણ વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખવામા આવી છે આમા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજી બંધ રાખવામા આવી રહી છે

હળવદ માર્કેટ યાર્ડમાં ગઇકાલથી વેપારીઓ દ્વારા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં હરરાજીની કામગીરી અને વેપારીઓની દુકાનો બંધ કરવામાં આવી છે જેથી કરીને આ હડતાળ  સમેટાઇ તે માટે છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડના સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પાનાં આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓની હડતાળ ચાલુ છે અને આજે પણ ગઇકાલની જેમ જ હરરાજીની કામગીરી અને વેપારીઓની દુકાનો બંધ રાખવામા આવી છે

અત્રે ઉલેખનીય છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર દુકાન ધરાવતા વેપારી જનકભાઈ ચૌહાણ પાસેથી ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જશપાલસિંહ ઝાલા દ્વારા અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યારે જનકભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ પણ નોંધાવાઇ હતી તેમ છતાં ફરી પાછી જશપાલસિંહ ઝાલા દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી હળવદ યાર્ડના વેપારીઓની માંગ છે અને ગઇકાલથી હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તમામ વેપારીઓ દ્વારા હરરાજીની કામગીરી બંધ રાખવામાં આવી છે અને હજુ સોમવારે પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે કે કેમ તે કહેવું મુશેક્લ છે 






Latest News