વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામધામ ખાતે આજે ભવ્ય સંતવાણી યોજાશે


SHARE











મોરબીના પરશુરામધામ ખાતે આજે ભવ્ય સંતવાણી યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી ભાણદેવજી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરવી રહ્યા છે તેની સાથે આજે તા ૧૮ ના રોજ રાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મ બ્રહ્મસમાજ મહિલા મંડળ, પરશુરામ યુવા ગ્રુપ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના સમગ્ર જીવનને કથામૃત સ્વરૂપે લોકો સુધી પહોચાડીને લોકોમાં નવી ઉર્જા આવે તેમજ સમાજને નવી શક્તિ મળે તેવા હેતુ સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૧૭ થી ૧૯ સુધી બપોરે ૩ થી સાંજે ૬:૩૦ કલાક દરમ્યાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આ પરશુરામ કથાનું આયોજન કરાયું છે તેની સાથોસાથ આજે તા. ૧૮ ને શનિવારે રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનિક જયમંતભાઈ દવે, લોક સાહિત્યકાર પ્રકાશભાઈ જાદવ અને ગાયક બાળ કલાકાર ભક્તિબેન દવે સહિતના કલાકારો જમાવટ કરશે






Latest News