વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો

શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં તા.૪-૧૦-૨૫ ના રોજ શિક્ષક  જયંતીલાલ જુગતરામ વ્યાસએ તા.૩૦-૯-૨૫ ના રોજ નિવૃત્ત થયા.આ વયનિવૃત્તિ પ્રસંગે હૃદયસ્પર્શી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય આનંદભાઈ ભોજાણી તથા સમગ્ર શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યા દેવી માતા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી.

બાદમાં નિવૃત્ત શિક્ષક જયંતીલાલ જુગતરામ વ્યાસએ પોતાના લાંબા કારકિર્દી દરમિયાન મેળવેલા અનુભવો, વિદ્યાર્થીઓ પ્રત્યેની સમર્પિત ભાવના અને શૈક્ષણિક સેવા અંગે સૌને પ્રેરક સંદેશ આપ્યો. શાળાના શિક્ષકમિત્રો દ્વારા તેમને શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ પણ ગીત, ભાષણ અને નાનકડા કાર્યક્રમો દ્વારા પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો.અંતે સૌએ શિક્ષકશ્રીના સ્વસ્થ અને આનંદમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક અંતાણી કુશકુમાર દિનેશચંદ્ર દ્વારા તથા આભાર વિધિ શાળાના શિક્ષક રાજેશભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવ્યું હતુ.






Latest News