ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે
SHARE








ટંકારાના ડેમી-૨ ડેમના ૬ દરવાજા ખોલીને સિંચાઇ માટે નદીમાં પાણી છોડવામાં આવશે
ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે ડેમી-૨ ડેમ આવેલ છે તે ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમને ભરવા માટે સિંચાઈ વિભાગ દ્વાર કાલે ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે.
ટંકારા તાલુકામાં આવેલ ડેમી નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમો ભરવા માટે ડેમી-૨ ડેમમાંથી કુલ ૩૭ MCFT પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જે દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે જેથી તા ૧૫ ને ગુરુવારે બપોરે ૨ વાગ્યે ડેમી-૨ ડેમના ૬ દરવાજાને ૧ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવશે અને કુલ મળીને ૩૫૧૭ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જો કે, નદીમાં પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તથા મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામને એલર્ટ કરવામાં આવેલ છે.

