મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ


SHARE













મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ

મોરબી મહાનગરપાલિકા દરજો આપવામાં આવેલ છે જો કે, મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત રહે છે જેથી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાના ઝોન -૨ માં આવેલ મહેન્દ્રનગર ગામમાં  ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત,સોમનાથ પાર્ક,હરિગુણ, રોયલ પાર્ક અને મહેન્દ્રગર ગામતળમા આશરે ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ હજાર લોકો રહે છે. તો અને આ ગામનો મહાપાલિકામાં તા ૧/૧/૨૦૨૫ થી સમાવેશ કરવા આવેલ છે. હવે મોરબી મહાપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દરેક મકાન, શોપિંગ, પ્લોટ, કાર જેવી  અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કર છે. તો આજ દિવસ સુધી  કોઈપણ જાતની પાયાની સુવિધા આપવામાં આવી રહી નથી. જેમાં ખાસ કરીને પાણી આવતું નથી, હાલ કોઈ રોડ રસ્તા સફાઈ કરવામાં આવતા નથી, સોસાયટીમાં કોઈ મહાપાલિકાનું વાહન, ગાડી,કે ટ્રેકટર  કચરો લેવા માટે આવતા નથી, સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં સ્ટ્રીટ લાઈટ નથી, મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધીમાં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા મૂકવામાં આવે તે સહિતની માંગ કરી છે.






Latest News