મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રએ આતંક મચાવનાર બંને આરોપીઓની ધરપકડ
SHARE








મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રએ આતંક મચાવનાર બંને આરોપીઓની ધરપકડ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવતા બચુબાપાને ત્યાં ગઇકાલે લુખ્ખાઓએ આંતક મચાવ્યો હતો જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને બંને આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી સુરજ બાગમાં બચુભાઇ ઉર્ફે બચુબાપા નારણભાઇ ગામી (81) અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવે છે જો કે, બુધવારે બપોરે લૂખ્ખાતત્વ દ્વારા તેઓના અન્નક્ષેત્ર પાસે આવ્યા હતા અને ત્યા ફરીયાદી તથા સાહેદ નસીમબેન હાજર હતા તેઓને ગાળો આપી હતી અને છરી બતાવીને મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. અને બટેટા તથા મરચા વેર વીખેર કરી નાખ્યા હતા અને 300-400 નું નુકશાન કર્યું હતું જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક ફતેમહમદ કટીયા રહે. રણછોડનગર મોરબી અને એઝાઝ મુસ્લિમ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મુસ્તાક ફતેમહમદ કટીયા (34) રહે. રણછોડનગર મોરબી અને એઝાઝ જિકરભાઈ મલા (22) રહે. રેલ્વે સ્ટેશન પાછળ ખારી વિસ્તાર મોરબી વાળાની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

