મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડને જમીનનો દસ્તાવેજ કરી આપવા વ્યાજખોરે ધમકી આપતા કર્યો હતો આપઘાત: બે સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડને જમીનનો દસ્તાવેજ કરી આપવા વ્યાજખોરે ધમકી આપતા કર્યો હતો આપઘાત: બે સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂપિયા પડાવવા માટે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને કંટાળી ગયેલ આધેડે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હમીરપર ગામે રહેતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (50)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તાલુકો માળીયા અને રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે. લાભદિપ સોસાયટી શેરી-3 રાજકોટ વાળાની  સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના પતિ ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (50)ને આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખાએ બળજબરી કરી જમીનનુ 23.23 લાખનું સાટાખત કરાવી લીધેલ હતું અને સાટા ખત પેટે 10 લાખ ચેકથી આપેલ હતા અને વ્યાજ પેટે પાંચ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવ્યો હતો અને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને આરોપી રાહુલભાઈ બચુભાઈ સવસેટાએ ફરીયાદીના પતિને પ્રોમીસરી નોટ લખાવી 20 લાખ આપી તેનુ વ્યાજ 10 ટકા લેખે લેતા હતા જેથી કરીને 24 લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપ્યા હતા છતા ફરિયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી હતી અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જેથી કરીને બન્ને આરોપીઓએ ફરિયાદીના પતિ પાસેથી ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ 108, 308, 351 (3) ગુજરાત નાણા ધીરધાર કલમ 40, 42 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News