ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની જીવાદોરી મચ્છુ ડેમ-1 ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા


SHARE











વાંકાનેરની જીવાદોરી મચ્છુ ડેમ-1 ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનો જળ સ્ત્રોત મચ્છુ 1 ડેમ ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રીફળ વધેરી પુષ્પો અર્પણ કરી નવાં નીરનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં.

વાંકાનેર શહેર વિસ્તારમાં ઓછો વરસાદ છતાં ઉપરવાસનાં ધોધમાર વરસાદને પગલે જાલસિકા પાસે આવેલ મચ્છુ 1 ડેમ ઓવર ફ્લો થતાં સમગ્ર વાંકાનેર પંથકનું જળ સંકટ ટળી ગયું છે, વાંકાનેર વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ નવા નીરને વધાવવા મચ્છુ ડેમ ખાતે દોડી ગયા હતાં, વાંકાનેર નાં ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાનાં પ્રતિનિધિ અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને ખેડૂત આગેવાન ઈરફાન પીરઝાદા, apmc ચેરમેન શકીલ પીરઝાદા, જીલ્લા પંચાયત સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી, અશ્વિનભાઈ મેઘાણી, ગુલામભાઈ પરાસરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા, હાસમભાઈ બાંભણીયા સહિત કોંગ્રેસ કાર્યકરો મચ્છુ ડેમ ખાતે દોડી જઈ નવાં નીરનાં વધામણાં કર્યા હતાં






Latest News