વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની જીવાદોરી મચ્છુ ડેમ-1 ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા


SHARE











વાંકાનેરની જીવાદોરી મચ્છુ ડેમ-1 ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનો જળ સ્ત્રોત મચ્છુ 1 ડેમ ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રીફળ વધેરી પુષ્પો અર્પણ કરી નવાં નીરનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં.

વાંકાનેર શહેર વિસ્તારમાં ઓછો વરસાદ છતાં ઉપરવાસનાં ધોધમાર વરસાદને પગલે જાલસિકા પાસે આવેલ મચ્છુ 1 ડેમ ઓવર ફ્લો થતાં સમગ્ર વાંકાનેર પંથકનું જળ સંકટ ટળી ગયું છે, વાંકાનેર વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ નવા નીરને વધાવવા મચ્છુ ડેમ ખાતે દોડી ગયા હતાં, વાંકાનેર નાં ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાનાં પ્રતિનિધિ અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને ખેડૂત આગેવાન ઈરફાન પીરઝાદા, apmc ચેરમેન શકીલ પીરઝાદા, જીલ્લા પંચાયત સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી, અશ્વિનભાઈ મેઘાણી, ગુલામભાઈ પરાસરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા, હાસમભાઈ બાંભણીયા સહિત કોંગ્રેસ કાર્યકરો મચ્છુ ડેમ ખાતે દોડી જઈ નવાં નીરનાં વધામણાં કર્યા હતાં






Latest News