મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસ.ટી. નાં નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરમાં એસ.ટી. નાં નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર એસ.ટી.ડેપોનાં વય મર્યાદાના લીધે નિવૃત થઈ રહેલાં કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને તેમાં વિભાગીય નિયામક પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં પણ જાનનાં જોખમે ફરજ બજાવી વય મર્યાદા સબબ નિવૃત થઈ રહેલાં ડ્રાઈવર, કંડકટર, વર્કશોપ કર્મચારીઓનું સન્માન તથા સ્વર્ગસ્થ કર્મચારીઓને શ્રધ્ધાંજલી કાર્યક્રમ બાપા સીતારામ ગ્રૂપ એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વિભાગીય નિયામક (એસ.ટી.રાજકોટ) જે.બી. ક્લોતરા, વિભાગીય યાંત્રિક ઈજનેર એન.સી. સોની, વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળનાં અગ્રણી જયુભા ડી.જાડેજા, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા, સુખદેવ ડાભી તથા નિવૃત્ત કર્મચારીઓનાં પરિવારજનો હાજર રહ્યા હતાં અને નિવૃત્ત થઈ રહેલાં તમામ કર્મચારીઓનું ફૂલહાર કરી શાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી અગ્રણીઓનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા પણ નિવૃત્ત કર્મચારીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી તો વિભાગીય નિયામક દ્વારા કર્મચારી મંડળનાં અગ્રણી જયુભા ડી.જાડેજાની કાર્ય પદ્ધતિને બિરદાવવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જે.બી.ઝાલા, ભરતસિંહ જાડેજા, મહેબૂબભાઈ લાહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ ઝાલા, અતુલભાઈ રાજગુરુ, અશોકભાઈ સહિત બાપા સીતારામ ગ્રૂપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News