મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE















ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી નદીના ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી જીજવા નદીના ચેકડેમમાં શંકરભાઈ દિયાભાઈ ભીલવાડ જાતે આદિવાસી (ઉંમર વર્ષ ૨૩) રહે હાલ બાબુભાઈની વાડી વાળો પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મૃતકના ભાઈ સુનિલભાઈ ભીલવાડએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News