સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના વલાસણ ગામે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે વાડીએ રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની સગીર વયની દીકરીને કામ બાબતે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની વકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામની સીમમાં અબ્દુલભાઇ હુસેનભાઈ સિપાઈની વાડી આવેલ છે જે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં જોકુઉદારભાઇ રાઠવા જાતે આદિવાસીની ૧૪ વર્ષની દીકરી પિન્કીબેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવની તપાસ કરતા પી.ડી. જાડેજા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિવારજનોએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવ્યુ હતુ જેથી સગીરાએ આપઘાત કરેલ છે






Latest News