અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી


SHARE





ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ  ૨૩ને રવિવારે ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરથી રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય મોરબી જીલ્લામાં આવેલ છે અને ત્યારે તેઓએ ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી.

ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તા ૨૩/૪/૨૦૨૩  ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રવિવારે તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય સાથે ડેપ્યુટી કલેકટર પરમાર, ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ૬૬-ટંકારા વિ.સ.મ.વિ.નાં ટંકારા તાલુકાનાં બુથ નં ૧૫૩-ટંકારા-૨ કુમાર તાલુકા પ્રાથમીક શાળા તથા ૧૬૦-ટંકારા-૯ એમ.પી.દોશી હાઈસ્કૂલ ખાતે મતદાન મથકોની મુલાકાત કરેલ હતી. 

જેમા બીએલઑ પાસેથી મતદારયાદી સંદર્ભે સુચનો લેવામાં આવ્યા હતા અને રોલ ઓબ્ઝર્વર દ્વારા ફોર્મ નં-૬.૭ તથા ૮ ની ચકાસણી કરેલ હતી તેમજ ડુપ્લીકેટ નામો તથા ઈપીક ફોટો બાબતે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હતી અને કાયમી સ્થાંળાતર તથા મૃત્યુના કિસ્સામાં ફોર્મ નં-૭ ભરવાની સુચના આપવામાં આવી હતી ઉપરાંત આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ ટંકારા તાલુકાના તમામ નાગરિકોને લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી.




Latest News