મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી


SHARE











ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ  ૨૩ને રવિવારે ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરથી રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય મોરબી જીલ્લામાં આવેલ છે અને ત્યારે તેઓએ ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી.

ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તા ૨૩/૪/૨૦૨૩  ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રવિવારે તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય સાથે ડેપ્યુટી કલેકટર પરમાર, ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ૬૬-ટંકારા વિ.સ.મ.વિ.નાં ટંકારા તાલુકાનાં બુથ નં ૧૫૩-ટંકારા-૨ કુમાર તાલુકા પ્રાથમીક શાળા તથા ૧૬૦-ટંકારા-૯ એમ.પી.દોશી હાઈસ્કૂલ ખાતે મતદાન મથકોની મુલાકાત કરેલ હતી. 

જેમા બીએલઑ પાસેથી મતદારયાદી સંદર્ભે સુચનો લેવામાં આવ્યા હતા અને રોલ ઓબ્ઝર્વર દ્વારા ફોર્મ નં-૬.૭ તથા ૮ ની ચકાસણી કરેલ હતી તેમજ ડુપ્લીકેટ નામો તથા ઈપીક ફોટો બાબતે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હતી અને કાયમી સ્થાંળાતર તથા મૃત્યુના કિસ્સામાં ફોર્મ નં-૭ ભરવાની સુચના આપવામાં આવી હતી ઉપરાંત આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ ટંકારા તાલુકાના તમામ નાગરિકોને લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી.






Latest News