મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ


SHARE











ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ

ટંકારા તાલુકાની બંગાવડી સિંચાઈ યોજનામાં હાલમાં મચ્છુ-૨ ડેમ મારફતે સૌની યોજનાનાનુ પાણી આપવામાં આવે છે તે પાણીને બંધ કરવામાં આવે તો ડુબ વિસ્તારના ખેડતોનો પાક બચી શકે તેમ છે જેથી કરીને ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પાણી હાલમાં બંધ કરવાની અને દોઢ મહિના પછી આપવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં ઓટાળા તથા દેવળીયા ગામના ડુબ વિસ્તારના ખાતેદારોઓ વાવેતર કરેલ છે જે પાક ઉતારા પર છે ત્યારે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી પાણી આવતા ખેડૂતોનો પાક ડૂબી શકે તેમ છે જેથી ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે ખેડૂતોને રાહત આપવા તેમજ પાક ઉતારી જાય ત્યા સુધિ રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતોએ દેવુ કરીને ખેતરોમાં વાવેતર કર્યું છે અને ડૂબ વિસ્તારના ખાતેદારોને જો નુકશાન થશે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ઓછું પાણી ભારે તો ઊભો પાક બચી જાય અને ડૂબમાં ગયેલ જમીન ખાતેદારને નુકશાન ન થાય અને કેનાલ નીચે આવતા ટીમડી, બંગાવડીમાં પાણીની માગણી કરેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને થાનર નુકશાન બચી જાય તેમ છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, હાલમાં ઓટાળા, દેવળીયા તથા બંગાવડીનાં ખાતેદારોને પાણીની જરૂર નથી અને દોઢ માસ પછી ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે સમયસર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે






Latest News