મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE





મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવતા ઘરધણી સહિત પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેની પાસેથી રોકડા ૭૧,૩૦૦ તેમજ અન્ય મુદામાલ સહિત ૪,૮૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી

ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાલીદખાન રફિકખાનને મળેલ હકિકત આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭)ના બંગ્લોઝ નં બી-૪૪ વાળામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઘરધણી પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭) રહે. ઇડન હિલ્સ બંગ્લોઝ નં-૪૪ મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ (૬૦) રહે. હરીહર નગર રવાપર રોડ મોરબી, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૭૧) રહે. એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા જાતે પટેલ (૫૮) રહે. ઉમા ટાઉનશીપ મોરબી અને ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા જાતે પટેલ (૬૨) રહે. રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી વાળાનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે રોકડા ૭૧,૩૦૦ તથા વાહન અને મોબાઇલ મળીને કુલ ૪,૮૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે આ કામગીરી પીએસઆઈ એચ.આર. હેરભાની સૂચના મુજબ સિધ્ધરાજસિહ અર્જુનસિહ ઝાલા, ખાલીદખાન રફિકખાન, શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર, સાગરભાઈ ડાયાલાલ કુરીયાએ કરી હતી




Latest News