મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબી નજીક આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગારની રેડ, પાંચ જુગારી ૪.૮૧ લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવતા ઘરધણી સહિત પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેની પાસેથી રોકડા ૭૧,૩૦૦ તેમજ અન્ય મુદામાલ સહિત ૪,૮૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી હતી

ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાલીદખાન રફિકખાનને મળેલ હકિકત આધારે ટંકારા તાલુકાના ઘુનડા રવાપર રોડ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭)ના બંગ્લોઝ નં બી-૪૪ વાળામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઘરધણી પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૬૭) રહે. ઇડન હિલ્સ બંગ્લોઝ નં-૪૪ મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા જાતે પટેલ (૬૦) રહે. હરીહર નગર રવાપર રોડ મોરબી, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૭૧) રહે. એંટીલા હિલ્સ લીલાપર રોડ મોરબી, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા જાતે પટેલ (૫૮) રહે. ઉમા ટાઉનશીપ મોરબી અને ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા જાતે પટેલ (૬૨) રહે. રવાપર ચોકડી સુંદરમ એપાર્ટમેંટ મોરબી વાળાનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે રોકડા ૭૧,૩૦૦ તથા વાહન અને મોબાઇલ મળીને કુલ ૪,૮૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે આ કામગીરી પીએસઆઈ એચ.આર. હેરભાની સૂચના મુજબ સિધ્ધરાજસિહ અર્જુનસિહ ઝાલા, ખાલીદખાન રફિકખાન, શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર, સાગરભાઈ ડાયાલાલ કુરીયાએ કરી હતી






Latest News