મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર ટ્રેઇલરના ચાલકે બોલેરોને ટક્કર મારતા બે ને સારવારમાં ખસેડાયા


SHARE











મોરબીના કંડલા બાયપાસ ઉપર ટ્રેઇલરના ચાલકે બોલેરોને ટક્કર મારતા બે ને સારવારમાં ખસેડાયા

મોરબીના કંડલા બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલરના ચાલકે બોલેરોને હડફેટ લેતા બનેલ અકસ્માતના બનાવમાં બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલરના ચાલકે બોલેરોને હડફેટે લેતા સાલેમામદ બચુભાઈ સુમરા (ઉમર ૪૫) રહે.સુમરા સોસાયટી વિજયનગર મોરબી વાળાને માથા તથા હાથના ભાગે ઇજાઓ તથા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તે રીતે જ મોમૈયાભાઈ ગોવિંદભાઈ ઝિંઝુવાડીયા (ઉમર ૫૪) રહે.શાંતિવન સોસાયટી વીસીપરા મોરબીને પણ ઇજાઓ પહોંચી હોય તેમને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

ઝેરી દવાની અસર થતા સારવારમાં

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામે ખેત મજૂર તરીકે કામ કરતા ગોલુભાઇ પુંજાભાઈ બારેડ જાતે આદિવાસી નામના ૧૮ વર્ષના યુવાનને ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હતી જેથી જેતપર પીએસસી ખાતે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વધુ તપાસ અર્થે માળિયા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલા રાદડિયા ગામે રહેતી રસીલાબેન વિપુલભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને વધુ સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે તે બનાવ સંદર્ભે પણ વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ખાતે રહેતા સલુભાઈ સોમાભાઈ ચોહલા નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે જુની અરુણોદય મિલની સામે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો દ્વારા જાણ કરવામાં આવેલી હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News