મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું


SHARE











મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબીના ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડમી દ્વારા મોરબી ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત તા.૧૨-૨ ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ઓપન ગુજરાત સૂર્ય નમસ્કાર સ્પર્ધા મોરબી મુકામે અહિંના રવાપર ગામ પાસે આવેલા રામોજી ફાર્મમાં યોજાઇ હતી.જેમાં આશરે ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી વ્યાસ રાજેન્દ્રભાઇ અશોકભાઈ (આચાર્ય રાયધ્રા પ્રાથમિક શાળા-હળવદ) એ ૩૪૮ સૂર્ય નમસ્કાર કરીને દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને રાયધ્રા પ્રા.શાળા તેમજ વ્યાસ પરીવારનું ગૌરવ વધાર્યું હોય તેમના મિત્ર મંડળ, શુભેચ્છકો અને સગા-સ્નેહીઓ દ્વારા તેઓને તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૬૦૦૩૦ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.સ્પર્ધાને સફળ બનાવવા માટે અહીંના વિનય કરાટે એકેડમીના વાલજીભાઈ ડાભી તેમજ ભક્તિ યોગ કેન્દ્રના સંચાલકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News