મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર નજીક કારખાનેદાર-ખેડૂત વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE











વાંકાનેરના ધમલપર નજીક કારખાનેદાર-ખેડૂત વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


વાંકાનેર નજીક આવેલ જુના ધમલપર ગામે કારખાનાનું પાણી વાડીમાં આવતું હોવાથી વાડીમાં પાણી આવવા ન દેવાનું કહેવા ગયેલ ખેડૂતને સળિયા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને કારખાનેદારને ખેડૂતે પાઇપ વડે માથામાં ઇજા કરી હતી જેથી આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલા ધમલપર ગામે રહેતા મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવાર જાતે મોમીન (૩૨) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કપિલભાઈ ગગજીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૮) રહે. વીસીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે, તેની વાડીમાં આરોપીના કારખાનામાંથી પાણી આવતું હોય પાણી આવવા દેવા બાબતે તે કપિલભાઈને કહેવા માટે ગયા હતા ત્યારે કપિલભાઈ ઉછેરાઈ ગયા હતા અને ગાળો આપીને લોખંડના સળિયા વડે માથામાં બે ત્રણ ઘા માર્યા હતા અને પાઇપ વડે જમણા હાથમાં માર માર્યો હતો જેથી ઈજા થઈ હોય ઇજા પામેલ યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે કારખાનેદારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

તો સામા પક્ષેથી કૌશિકભાઇ ઉર્ફે કપિલભાઈ ગગજીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૮)એ મોહયુદ્દીનભાઈ અબ્દુલભાઈ કડીવાર જાતે મોમીન (૩૨) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના કારખાનાની મોટર ખરાબ થઈ ગઈ હતી જેથી પાણી આરોપીના ખેતર નજીક જતું હતું માટે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં અને વાસામાં માર મારીને ઈજા કરી હતી જેથી કૌશિકભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોહયુદ્દીનભાઈ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીના આ બનાવમાં સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News