તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના વીરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા છરી વડે હુમલો : બંને પક્ષેથી મહિલા સહિત સાતને ઇજા


SHARE











ટંકારાના વીરપરમાં રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેતા છરી વડે હુમલો : બંને પક્ષેથી મહિલા સહિત સાતને ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રીક્ષા સાઈડમાં ચલાવવાનું કહેવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે છરી, ધોકા વડે સામ સામે મારામારી કરવામાં આવી હતી જેથી મહિલા સહિત કુલ મળીને સાત જેટલા લોકોને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ મારામારીના આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા જાતે કોળી (૪૦) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા, સુનિલભાઈ રાજુભાઈ ઉઘરેજા અને સંજય રાજુભાઈ ઉઘરેજા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રાજુભાઈને રિક્ષા સાઈડમાં ચલાવવા માટે થઈને તેમણે કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને રાજુભાઈએ ફરિયાદી મેરૂભાઈ તથા તેના પિતાને ગાળો આપી હતી અને તેના પિતાને હાથમાં ધોકો મારીને ફેકચર જેવી ઇજા કરી હતી તો સુનિલભાઈએ ફરિયાદી મેરૂભાઈને ડાબા હાથની બગલ પાસે અને અંગૂઠામાં છરી વડે ઇજા કરી હતી તેમજ સાહેદ યુનુસભાઈને ડાબા પગના ભાગે છરી મારીને ઇજા કરેલ છે અને સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજાએ ફરિયાદી મેરૂભાઈ તથા ગીતાબેનને ધોકા વડે માર માર્યો હતો. જેથી તેઓને ઈજા થયેલ હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મેરૂભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

તો સામા પક્ષેથી વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૩) એ મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા, બચુભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા અને ગીતાબેન મેરૂભાઈ ઉઘરેજા રહે. ત્રણેય વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજાએ લાકડાના ધોકા વડે તેને માથાના ભાગે માર મારીને ઇજા કરીએ હતી તેમજ મેરૂભાઈ અને બચુભાઈએ ફરિયાદી તથા અન્ય સાહેદોને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને પોલીસે સંજય ઉઘરેજાની ફરિયાદ લઈને મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News