મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં


SHARE











ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની માતા તેને જોઈ જતા તેણે તાત્કાલિક તેને બચાવી લીધી હતી અને યુવતીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકાર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આંગણવાડી પાસે રહેતા પુરુષોત્તમભાઈ ચાવડાની દીકરી નિશાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારે તેને તેની માતા જોઈ જતા તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવીને દીકરીને નીચે ઉતારીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોના ફિલ્ડ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજદેવ ચંદ્રબલી જેસવાલ (૫૦) નામના આધેડ કારખાનામાં હતા ત્યારે ત્યાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News