ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાની ૧૭ સોસાયટીના લોકોએ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા કરી માંગ


SHARE











ટંકારાની ૧૭ સોસાયટીના લોકોએ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા કરી માંગ

ટંકારા અને જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓને સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી કરીને લોકો સાથે અન્યાય કરવામાં આવતો હોવાથી સુવિધા અને સગવડ માટે સ્થાનિક લોકો દ્વારા જબલપુર ગામના રેવન્યુ સોસાયટીમાં વસેલી ૧૭ સોસાયટીઓને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે અને દયાનંદ સરસ્વતીને માન મળે એવુ આર્યગામ બનાવવા માંગ કરી છે

ટંકારાની બાજુમાં જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી ૧૭ સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા ૧૨૦૦ જેટલા લોકો દ્વારા અલગ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ કરી છે અને ૨૨ જેટલા અભિપ્રાય પોઝીટીવ ફાઈલ તૈયાર કરી આપી હોવા છતાં આ વખતે અલગ પંચાયત ન મળતા લોકોમા રોષની લાગણી છે જે લોકોની સુવિધા મળી રહી નથી તેમાં હરીઓમનગર , હરિઓમનગર -૨, બાલાજી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ધર્મભકિત સોસાયટી, અયોધ્યાપૂરી સોસાયટી, દેવનગર, રાજધાની પાર્ક, જામીનારાયણ નગર, અવધ પાર્ક, આર્યનગર, પ્રભુનગર સોસાયટી, સરદારનગર -૧, સરદારનગર -૨, સરદારનગર-૩, શ્યામ પાર્ક અને મહાલક્ષ્મી  પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે અને અહીં વસવાટ કરતા લોકોને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળી નથી જેથી લોકોએ આર્ય ગામની રચના કરવા નવી પંચાયતની માંગ કરી છે 






Latest News