મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

ટંકારાની ૧૭ સોસાયટીના લોકોએ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા કરી માંગ


SHARE











ટંકારાની ૧૭ સોસાયટીના લોકોએ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા કરી માંગ

ટંકારા અને જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓને સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી કરીને લોકો સાથે અન્યાય કરવામાં આવતો હોવાથી સુવિધા અને સગવડ માટે સ્થાનિક લોકો દ્વારા જબલપુર ગામના રેવન્યુ સોસાયટીમાં વસેલી ૧૭ સોસાયટીઓને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે અને દયાનંદ સરસ્વતીને માન મળે એવુ આર્યગામ બનાવવા માંગ કરી છે

ટંકારાની બાજુમાં જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી ૧૭ સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા ૧૨૦૦ જેટલા લોકો દ્વારા અલગ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ કરી છે અને ૨૨ જેટલા અભિપ્રાય પોઝીટીવ ફાઈલ તૈયાર કરી આપી હોવા છતાં આ વખતે અલગ પંચાયત ન મળતા લોકોમા રોષની લાગણી છે જે લોકોની સુવિધા મળી રહી નથી તેમાં હરીઓમનગર , હરિઓમનગર -૨, બાલાજી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ધર્મભકિત સોસાયટી, અયોધ્યાપૂરી સોસાયટી, દેવનગર, રાજધાની પાર્ક, જામીનારાયણ નગર, અવધ પાર્ક, આર્યનગર, પ્રભુનગર સોસાયટી, સરદારનગર -૧, સરદારનગર -૨, સરદારનગર-૩, શ્યામ પાર્ક અને મહાલક્ષ્મી  પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે અને અહીં વસવાટ કરતા લોકોને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળી નથી જેથી લોકોએ આર્ય ગામની રચના કરવા નવી પંચાયતની માંગ કરી છે 






Latest News