​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


SHARE











મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


મોરબીથી કરજણની એસટી બસ ચાલુ હતી જો કે, કોરોના સમયે તે બસને બંધ કરી દેવામાં આવી હતી અને આજ સુધી તેને શરૂ કરવામાં આવી નથી જેથી કરીને આ એસટી બસ શરૂ કરવા માટે હાલમાં અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય દ્વારા રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ રાજકોટ એસટી વિભાગના નિયામકને લેખિતમાં રજુઆત કરી છે કે, કરજણ ડેપોથી મોરબી બસ આવતી અને રાત્રે ૧૨ વાગ્યે મોરબીથી ઉપડીને કરજણ જતી હતી જો કે, આ બસ કોરોનામાં બંધ કર્યા બાદ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી આ બાબતે અનેક વખત એસટી વિભાગને રજુઆત કરી છે પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસ ચાલુ કરવામાં આવી નથી જેથી વધુ એક વખત તેઓએ આ મુદે રજુઆત કરી છે અને આ રૂટની બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીથી રાત્રીના સમયે અમદાવાદ જવા માટે છેલ્લી આ બસ હોય છે અને આ બસનું અમદાવાદ રેલવે ટ્રેન સાથે કનેક્શન હોવાથી ટ્રાફિક પણ સારો રહે છે. જેથી કરીને વહેલી તકે મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News