મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં જનરેટરના પેનલ બોર્ડમાં આગ લાગી હતી જેથી કરીને ત્રણ વ્યક્તિ દાજી ગયા હતા માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સન ગ્લેર સીરામીક નામના કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને ગણપતસિંહ જીતુભા જાડેજા (ઉંમર ૫૦), જીતેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા (ઉંમર ૩૫) અને કમલકિશોરભાઈ રામગોપાલ રાવત (ઉંમર ૨૨) (રહે.ત્રણેય આલાપ રોડ તિરૂપતિ સોસાયટી, મોરબી) નામના ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ ત્રણ પૈકીના ગણપતસિંહ અને જીતેન્દ્રસિંહને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારખાનાની અંદર જનરેટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગવાના બનાવવામાં ત્રણેય વ્યક્તિઓ દાજી ગયા હોય તેઓને સારવારમાં ખસવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર ગામે રહેતા ચંપાબેન રમેશભાઈ વાઘેલા (૪૦) મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ચંપાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અંકિતાબેન રમેશભાઈ ભટાસણા (૩૩) ને મોરબીના પંચાસર રોડ ઉપર હતા ત્યારે અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી અંકિતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News