મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ


SHARE











૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિર માટે ટંકારામાં શિબીર યોજાઇ

ટંકારા કન્યા પ્રાથમિક શાળામાં ચાલી રહેલ યોગ વર્ગની મુલાકતે મહિલા પતંજલી રાજ્ય પ્રભારી તનુજા આર્યજી (પતંજલિ યોગ સમિતિ ગુજરાત, દક્ષિણ) આવ્યા હતા અને.આગામી તા.૨૬ નવેમ્બરના રોજ સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિરનું આમંત્રણ પાઠવ્યુ હતુ.આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનિંગ લીધેલ યોગ ટ્રેનેરો તથા યોગ સાધકો અને યોગપ્રેમીઓ જોડાઇ તેવી અપીલ તેઓએ કરી હતી.આ શિબિર અંતર્ગત તનુજા આર્ય દ્વારા લોકોને યોગ જીવનમાં કેટલો જરૂરી છે.આપણી ભારતીય સંસ્કૃતિ, યોગ શા માટે કરવાં જોઈએ, યોગના ફાયદા, યોગ રોગથી ઉપર ઉઠીને પરમાત્માને પામવા માટેનો રસ્તો છે વિગેરે બાબતો વિશે લોકોને સચોટ જ્ઞાન આપેલ અને ભારતને રોગ મુકત તથા ફરી વિશ્વગુરુ બનાવવામાં સૌને યોગદાન આપવા આહવાન કર્યુ હતુ. ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યજીના સ્વાબ્દિક યોગથી લોકોમાં નવી ઉર્જાના સ્ત્રોત ઉભરાયો અને લોકો રોજ યોગ કરશે અને કરાવશે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.તનુજાબેન આર્યના સાનિધ્યમાં પતંજલિ મહિલા ટંકારા તહસિલના કાર્યકર્તા તરીકે પદ આપીને બહેનોને યોગકાર્યને આગળ વેગ આપવા માટે પદનિયુક્તિ કરવામાં આવેલ જેમા ટંકારા તાલુકાના પ્રભારી યોગ કોચ તરીકે કંચન સારેસાની, મહામંત્રી પદે ડિમ્પલ સારસા અને ફાલ્ગુની વાઘેલાની, સંગઠન મંત્રી તરીકે જિન્નતબેન સમા અને કોષાધ્યક્ષ પદે મનાલી પરમારની વરણીઓ કરવામાં આવી હતી.






Latest News