તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેસમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો


SHARE











મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેસમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો

માળીયા(મીં) પોલીસને તા ૨૩-૧૨-૨૦૧૯ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીન ઘર આ કામના આરોપી કાદરભાઈ હબીબભાઈ જેડાના ઘર પાસે બાજમાં હોય અને ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમાં બેસતા હોય જે આ કામના આરોપીઓને સારુ નહી લાગતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી છરી જેવા તીક્ષ્ણ હથીયાર ધારણ કરી ફરીયાદી મામલતદાર કચેરી પાસે તેના મોટરસાઈકલ પર જતા હોય જેને રોકી ફરીયાદીને ગાળો આપી મારી નાખવાના ઈરાદે પાંચેય આરોપીઓએ છરીના ઘા મારી ફરીયાદીને માથામાં તથા વાંસાના ભાગે તથા ડાબા ખંભાના ભાગે છરીના ઘા મારી ફરીયાદીને ગંભીર અને જીવલેણ ઈજા કરી ફરીયાદીન મોત નીપજાવવાની કોશીષ કરવા બાબતનો ગનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ કાદરભાઈ હબીબભાઈ જેડા, સભાન હબીબભાઈ જેડા, વલીમામદ કાદરભાઈ જેડા, જાકીરભાઈ હબીબભાઈ, રફીક હાજીભાઈ મોવરનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૭ વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડો. મોરસીયા તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, એડવોકેટ, જીતેન ડી.અગેચાણીયા, જે. ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News