મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઈશુદાન ગઢવીની હાજરીમાં કાલે યોજાશે તિરંગા યાત્રા: બગથળા અને ચરાડવામાં જન સંપર્ક


SHARE











આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જુદા જુદા જિલ્લા અને તાલુકા ની અંદર જન સંપર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતીકાલે ઈશુદાન ગઢવી આવી રહ્યા છે અને ત્યારે તે જુદા જુદા વિસ્તારોની અંદર આવેલ મંદિરો ખાતે દેવ દર્શન કરવા માટે જશે તેની સાથોસાથ તિરંગા યાત્રામાં પણ તે હાજરી આપશે અને મોરબીના બગથળા તથા હળવદના ચરાડવા ગામે તેની હાજરીમાં જન સંવાદનો કાર્યક્રમ યોજાશે

આમ આદમી પાર્ટીના લોકલાડીલા નેતા ઇસુદાન ગઢવી કાલે મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સવારે ૯ વાગ્યે જલારામબાપાના મંદિર ખાતે દર્શન (અયોધ્યા પુરી મેઈન રોડ, મોરબી), સવારે ૯:૩૦ રોહિદાસ પરા, વિસી ફાટક, મોરબી ખાતે ડોર ટુ ડોર, સવારે ૧૦:૩૦ રામજી મંદિર દર્શન-દરબાર ગઢ મોરબી, સવારે ૧૦:૪૫ ત્રિરંગા યાત્રા દરબાર ગઢ થી જુના બસ સ્ટેન્ડ, સાંજે ૫ વાગ્યે બગથળામાં જનસંવાદ અને સાંજે ૬ વાગ્યે ચરાડવામાં જનસંવાદ યોજાશે






Latest News