મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા  જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મુખ્યમંત્રીને ઠરાવ બહાર પાડવા પુન:સ્મરણ કરાવાયું


SHARE











રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા  જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મુખ્યમંત્રીને ઠરાવ બહાર પાડવા પુન:સ્મરણ કરાવાયું

સરકાર સાથે થયેલ સમજૂતી મુજબ વર્ષ:- ૨૦૦૫ પહેલાં નોકરીમાં દાખલ થયેલ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુન:લાગુ કરવાનો  ઠરાવ બહાર પાડવા મુખ્યમંત્રીને પુન:સ્મરણ કરતો પત્ર લખાયો.

એકાદ મહિના પહેલાં રાજભરમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો સહિતના અનેક કર્મચારીઓ પોતાની જૂની પડતર માંગણીઓ માટે આંદોલન કરી રહયા હતા જેમાં જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવી,સાતમા પગાર પંચ મુજબના આનુસંગિક ભથ્થાઓ,બદલી ભરતી, બઢતી સહિતના પંદર જેટલા પ્રશ્નોની માંગ હતી જે તે વખતે સરકાર સાથે બેઠકો થતા મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું, સરકાર સાથે થયેલ સમાધાન મુજબ મોટા ભાગની માંગણીઓના ઠરાવો થઈ ગયા છે પણ મુખ્ય માંગણી વર્ષ- ૨૦૦૫ પહેલા નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો તેમજ નવી પેન્શન યોજનામાં સરકારનો 14 ટકા હિસ્સો એમ બે ઠરાવો વખતોવખતની રજુઆત છતાં બહાર પડ્યા ન હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આચાર સંહિતા લાગુ થાય એ પહેલાં જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાનો ઠરાવ બહાર પાડવા પુન:સ્મરણ કરતો પત્ર લખ્યો છે,






Latest News