મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જુદા જુદા મંદિરોમાં દિવેલ માટે 72 મણ શુદ્ધ ઘી અર્પણ કરાયું


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા મંદિરોમાં દિવેલ માટે 72 મણ ઘી અર્પણ કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે જુદા જુદા મંદિરોમાં 72 મણ શુદ્ધ ઘી આપવામાં આવ્યું છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના કાળ દરમિયાન મોરબી પંથકમાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિન નિમિતે ગાયોને શુદ્ધ ઘીમાંથી બનેલ 72 મણ સુખડી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જો કે 108 મણ કરતાં વધુ સુખડી ગાયોને કાંતિભાઈ અમૃતિયા તથા તેના પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ મોરબી અને આસપાસના વિસ્તારની અંદર આવેલા મંદિરોમાં દિવેલ માટે થઈને શુદ્ધ ઘી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જેના ભાગરૂપે 72 મણ શુદ્ધ ઘી જુદા જુદા મંદિરોમાં આપવામાં આવ્યું છે તેવું કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યું છે






Latest News