ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે


SHARE













વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી અને મહાકાળી માતાજીની તળેટીમાં આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠનો આગામી તા.28 ને શનિવારના રોજ 34 મો પાટોત્સવ યોજાશે.

આ પાટોત્સવ પ્રસંગે તા.28ના રોજ સવારે 8થી 12 સ્થાપિત દેવતાઓનું પુજન તથા સમુહ જપ આ સાથે શ્રી વેદમાતા ગાયત્રી ચેરી. ટ્રસ્ટના બિલ્ડીંગ ખાતે આવેલ વાત્સલ્ય ભુવન ખાતે સવારે 10થી 1 વાગ્યા સુધી મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે સાથે સાથે પ્રજ્ઞા જનસેવા ટ્રષ્ટ દ્વારા સંચાલીત તત્સત નેચર કયોર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન ગાયત્રી શકિતપીઠ દ્વારા કરવામાં આવેલ છે.

ત્યારબાદ સાંજે 4 કલાકથી નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે જે સતત ત્રણ કલાક ચાલુ રહેશે અને સાંજે સાત વાગ્યે પુર્ણાંહુતિ થશે. ત્યારબાદ માં વેદમાતા ગાયત્રી, માં આદ્યશકિત શ્રી અંબાજી માતાજી, શ્રી મહા સરસ્વતી માતા શ્રી મહાકાળીમાં તથા શકિતપીઠમાં સ્થાપિત દેવી-દેવતાઓની મહાઆરતી યોજાશે જેમાં હજારો લોકોની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલે માહિતી આપતા જણાવેલ હતું.

 મહાઆરતી બાદ શકિતપીઠની બાજુમાં આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સાંજે 7-30 કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે જેમાં સાતથી આઠ હજાર માંઈ ભકતો પ્રસાદ ગ્રહણ કરશે અને માંની આરાધના કરશે. તો આ દિવસે તમામ આમંત્રીત ભકતજનોએ હવન, મહાઆરતી તથા મહાપ્રસાદમાં સહ પરિવાર સાથે લાભ લેવા મહંત અશ્વિનબાપુ રાવલે યાદીમાં જણાવેલ છે.






Latest News