મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ
મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા
SHARE
મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા
મોરબીના સ્ટેશન રોડ વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર કામગીરીને પગલે રોડ બંધ રહેશે અને તા.૨૭/૩ થી ૨૦/૪ સુધી રોડ બંધ રહેશે જોકે, વાહન ચાલકો સહિતના લોકોની અવાર જવર માટે વૈકલ્પિક રુટની પણ જાહેરાત કરવામાં આવેલ છે.
મોરબી મહાપાલિકા બન્યા બાદ વિકાસકાર્યોએ વેગ પકડ્યો છે અને અગાઉ શહેરના મુખ્ય માર્ગો બનાવ્યા બાદ હવે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન કામગીરી કરવાની થતી હોવાથી સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન રોડ, ગાયત્રી મોબાઈલથી ચિત્રકૂટ સિનેમા રોડ અને માધાપરથી જડેશ્વર મંદિર રોડને તા. ૨૭/૩ થી ૨૦/૪ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકો સહિતના લોકો માટે વૈકલ્પિક રૂટ તરીકે આસ્વાદ પાનથી મહેન્દ્રપરા મેઈન રોડ અને સુભાષ રોડથી મંગલ ભુવન રોડ અને નવલખી રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેવું ડ્રેનેજ અને વોટર શાખા અધિકારી જણાવ્યુ છે.