ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE













વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ ટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેરના કુંભારપરા શેરી નં-3 માં રહેતી મહિલાને માનસિક બીમારીની દવા ચાલુ હતી અને પોતાની બીમારીથી કંટાળી જઈને મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાંકાનેરમાં આવેલ સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા વૃદ્ધને હાર્ટ ટેક આવી જતા તેનું મોત નીપજયું હતું

વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા શેરી નં-6 માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ દુધરેજીયા (38) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું અને તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને વર્ષ 2023 થી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને મગજની બીમારીથી કંટાળીને પોતે અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી વિગત સામે આવતા તેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરમાં આવેલ સ્વપ્ન લોક સોસાયટી પટેલ વાડી સામે રહેતા દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા (60) નામના વૃદ્ધ ચંદ્રપુરના નાલા નજીક આવેલ લુહારની વાડી પાસે હતા ત્યારે ત્યાં તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News