મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે વેલનાથ બાપુની પૂણ્યતીથી નિમિતે ગત તાજેતરમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આગામી તા.૨-૪-૨૬ ના રોજ વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે યોજાનાર શોભાયાત્રામાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના આગેવાનો, યુવા શક્તિ, તથા ભાઈઓ-બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું પ્રતિક છે. અને આગામી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે જેથી મોરબી જડેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન રોડથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ત્યાર બાદ નગર દરવાજા, તખ્તસીહજી રોડ, વીસી ફાટક, માહારાણા સર્કલથી ચાર રસ્તાથી સમાજની બોડીગ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેશા, દેવેશભાઈ રાણેવાડીયા અને પ્રવીણભાઈ સારલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News