મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાનાં આમંત્રણને માન આપીને ખાનપર ગામનાં સરપંચ લીંબડ દિલીપભાઈ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ, શિક્ષણ પ્રેમી રૈયાણી શૈલેષભાઈ તથા જાગૃત વાલીઓ હાજર રહ્યાં હતાં. ત્યારે ધો. 5 થી ધો. 7 નાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત  અને નાટક વિગેરે રજૂ કરવામાં આવેલ અને ધો. 8 નાં વિદ્યાર્થિઓ દ્વારા પોતાનાં જૂના સંસ્મરણો અને પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. આ તકે ગામનાં સંરપંચ રૈયાણી શૈલેષભાઈ તથાં શાળાનાં આચાર્યએ વિદાન પામનાર વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવી ભાવી ભણતર વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ધો. 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પણ ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન શાળાનાં સિનીયર શિક્ષક ચિકાણી રમણીકલાલ ડી. દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ માટે શાળાનાં આચાર્ય સાવરિયા ઈશ્વરલાલ કલાભાઈ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News