તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE











વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ઓળ ગામની હળદર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ ડમ્પર અને એક એક્ટર મશીન તેમજ ખનીજ સહિત કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ખનીજ માફિયા ઉપર ધોંસ બોલાવી હતી અને ત્યાં રેડ કરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ ત્યાં સાથે રાખવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 36 એક્સ 9153, ડમ્પર નંબર જીજે 36 એક્સ 8804, ડમ્પર નંબર જીજે 36 વી 9949 તથા એકવેસેટર મશીન અને સ્થળ ઉપરથી કાઢી લેવામાં આવેલ ખનીજનો જથ્થો ગણીને કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News