મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા


SHARE











ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા

ટંકારાના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા ઊભી કરવામાં આવી  છે જો કે, સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યા પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું તેવો ધાટ સર્જાયો છે.

ટંકારામાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓને મોરબી અને રાજકોટના ધક્કા બંધ થઈ જશે તેવી દર્દીઓને આશા હતી જો કે, આ ડાયાલીસીસ સેન્ટરનુ બાળમરણ થયુ હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. કેમ કે, અહિયાં પાણી, લાઈટ અને કીટ જ ન હોવાથી ડાયાલીસીસ સેન્ટર બંધ જેવી સ્થિતિ છે અને કિડનીના દર્દીઓને હેરાન થવું પડે છે ત્યારે આ ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલે જણાવ્યુ હતું કે, પાણીનો ટાંકો ભરાઈએ માટે અવ્યવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય ત્રણ દર્દી છે એમને અન્ય જગ્યાએ સારવાર ચાલુ કરી દીધી છે. તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહ્યો નથી જેથી થોડા દિવસોમાં પરિસ્થિતી થાળે પડી જશે અને ટંકારા સિવિલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉપરી અધિકારીએ જગ્યા આપવા કહ્યું હતું જે આદેશનું પાલન કર્યું છે ત્યાર આવી બેજવાદરી કોઇની માટે જીવલેણ સાબિત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે 






Latest News