સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ


SHARE





મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ

રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીની જન્મ તિથિને અનુલક્ષીને મોરબી નગર દ્વારા શરદપૂર્ણિમાના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ નિમિતે વાલ્મિકી સમાજના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતાઓએ સાથે મળીને મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.પૂજન બાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી




Latest News