મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં આવેલ અબ્દુલભાઈની પાનની દુકાન પાસે ક્રિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર જાતે દેવીપુજક (૧૭) ઉભો હતો ત્યારે જાહેરમાં પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર, યુવરાજ ભાઈલાલ પરમાર અને સોહન ભુપતભાઈ પરમાર રહે. બધા છતર વાળા દુકાન પાસેથી બહેન દીકરીઓ નીકળતી હતી ત્યારે ગાળો બોલતા હતા જેથી કરીને યુવાને તેને ગાળો ન બોલવાનું કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય શખ્સોએ યુવાનને છાતી, પેટ તેમજ માથાના ભાગે ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં આવેલ પાટીદાર પેપર મિલના મજુરના કવાર્ટરમાં ક્વોટરમાં રહેતા સંજુરાજ (ઉંમર ૨૬) નામના યુવાનનું બીમારી સબબ કવાર્ટરમાં મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મૃતકના મામા જયસંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News