મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા સેવાસદનમાં અમુક દરવાજાને સ્થાનિક અધિકારીઓએ દ્વારા બંધ કરવામાં આવેલ છે જેથી કરીને તેને ખોલવા માટે સ્થાનિક લેવલે અધિકારીઓને રજૂઆત કરી હતી તો પણ તે ખોલવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં સમાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આ મુદે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચ દ્વારા હાલમાં કલેકટર મારફતે સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો કામ કાજે આવતા હોય છે ત્યારે દરવાજા બંધ હોવાથી તેને હેરાન થવું પડે છે માટે વૃધ્ધ પેન્શનર, વિઘવા પેન્શનર સહિતના લોકોને ફરી ફરીને કચેરીમાં જવું પડે છે જેથી કરીને આ બંધ દરવાજને ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ તે બંધ દરવાજાને ખોલવામાં આવેલ નથી જેથી આ મુદે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને બંધ દરવાજાને ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, બિલ્ડિંગનાં મુખ્ય દરવાજા સિવાયનાં તમામ દરવાજાને તાળા મારીને બંધ રાખવામાં આવે છે. જેથી કયારે આગ અકસ્માત જેવો બનાવ કે પછી ઝઘડા થાય તો લોકો બિલ્ડિંગની બહાર નીકળી શકે તેમ નથી જેથી કરીને વહેલમાં વહેલી તકે બંધ દરવાજને ખોલવામાં આવે તે અનિવાર્ય છે






Latest News