મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા સેવાસદનમાં અમુક દરવાજાને સ્થાનિક અધિકારીઓએ દ્વારા બંધ કરવામાં આવેલ છે જેથી કરીને તેને ખોલવા માટે સ્થાનિક લેવલે અધિકારીઓને રજૂઆત કરી હતી તો પણ તે ખોલવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં સમાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આ મુદે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચ દ્વારા હાલમાં કલેકટર મારફતે સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો કામ કાજે આવતા હોય છે ત્યારે દરવાજા બંધ હોવાથી તેને હેરાન થવું પડે છે માટે વૃધ્ધ પેન્શનર, વિઘવા પેન્શનર સહિતના લોકોને ફરી ફરીને કચેરીમાં જવું પડે છે જેથી કરીને આ બંધ દરવાજને ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ તે બંધ દરવાજાને ખોલવામાં આવેલ નથી જેથી આ મુદે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને બંધ દરવાજાને ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, બિલ્ડિંગનાં મુખ્ય દરવાજા સિવાયનાં તમામ દરવાજાને તાળા મારીને બંધ રાખવામાં આવે છે. જેથી કયારે આગ અકસ્માત જેવો બનાવ કે પછી ઝઘડા થાય તો લોકો બિલ્ડિંગની બહાર નીકળી શકે તેમ નથી જેથી કરીને વહેલમાં વહેલી તકે બંધ દરવાજને ખોલવામાં આવે તે અનિવાર્ય છે






Latest News