મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં એસટી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE











મોરબીના આમરણમાં એસટી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીના આમરણ ગામે હાઇસ્કુલના ઢાળિયા પાસેથી બાઈક લઈને પસાર થતા આધેડના બાઇકને એસટી બસના ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો તેમાં આધેડને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે બસ સ્ટેન્ડની બાજુમાં પ્લોટ વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ શાંતિલાલ સાપરિયા જાતે કડિયા (ઉંમર ૨૫) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી જીંજુડા રૂટની સરકારી એસટી બસ નંબર જીજે ૧૮ વાય ૯૫૪૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આમરણ હાઇસ્કુલના ઢાળિયા પાસેથી તેઓના પિતા બાઈક નંબર જીજે ૧૦ ડીજે ૭૩૯૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતા શાંતિલાલ કરસનભાઈ સાપરિયા (૫૪) ને માથામાં અને શરીરને ગંભીર ઇજાવો થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News